WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે અંદરોઅંદર માથાકૂટ થઈ હતી, જેમાં 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩) એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા.

વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. 

આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો