WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ મત વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ભાજપમાં ખુશાલીના ઘોડાપુર

જસદણ મત વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ભાજપમાં ખુશાલીના ઘોડાપુર


જસદણ વિંછીયા પંથકના ભાજપ હોદ્દેદારો કાર્યકરો આજે નવી સરકારના શપથ સમારોહમાં બહોળી સંખ્યામાં ગાંધીનગરમાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૨
 રાજ્ય સરકારના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ સમારોહ આજે બપોરે સચિવાલય હેલિપેડ મેદાન સરદાર ભવન સંકુલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે છે ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીમાં તન મન અને ધનથી ભાજપ સાથે જોડાયેલાં અનેક હોદ્દેદારો અને કાર્યકરો આજે વહેલી સવારે પોતપોતાના વાહનોમાં ગાંધીનગર પહોંચી ગયાં હતાં એમ જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો.9601511111) એ જણાવ્યું હતું આજના સમારોહ માટે પ્રદેશ ભાજપ દ્વારા પંચાયતથી માંડી દરેક પધાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ભાજપના અંદરના વિરોધ વચ્ચે કુંવરજીભાઈ બાવળિયાની ભવ્ય જીતના વધામણાં કરવા અને તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતાં ભાજપના વફાદારો ગાંધીનગર નવી સરકારના શપથવિધિ સમારોહમાં સાક્ષી બન્યાં હતાં અત્રે નોંધનીય છે કે નવી સરકારના શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખાસ હાજર રેહવાના છે ત્યારે જસદણ બેઠક ઉપરથી સાતમી વખત ચૂંટાયેલા કુંવરજીભાઈ બાવળિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરતાં ભાજપના નાનાં મોટાં કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો