WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણવાસીઓને આ વર્ષે સસ્તું ઉંધીયું ખાવા મળશે: પાનેતર કેટરર્સનું જબરું આયોજન

જસદણવાસીઓને આ વર્ષે સસ્તું ઉંધીયું ખાવા મળશે: પાનેતર કેટરર્સનું જબરું આયોજન

જસદણમાં દર ઉત્તરાયણ નિમિત્તે પતંગના પેચ સાથે મનના પેચ લગાડતાં લગાડતાં શહેરીજનો લાખો રૂપિયાનું ઉંધીયું ઝાપટી જાય છે ત્યારે શનિવારે ઉત્તરાયણના દિવસે જાણીતા પાનેતર કેટરર્સએ આ વર્ષે ૐ બિમાર નંદી ગોશાળાના લાભાર્થે શહેરમાં જૂદી જૂદી ત્રણ જગ્યાઓ પર રાહતદરે ઊંધિયાનું વિતરણ કરશે 
અને એમાંથી જે આવક થશે તે બિમાર ગાયો માટે વાપરશે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથોસાથ પ્રત્યેક ગુજરાતીઓ ઊંધિયાની મોજ માણે છે જેથી જસદણવાસીઓ માટે આ વર્ષે અમે સરદાર ચોક, પટેલ જનરલ સ્ટોર મોતીચોક અને એસ ટી ડેપો સામે સવારથી જ એક કિલો ઊંધિયાના ફ્કત ૧૫૦ રૂપિયાના રાહત ભાવે વિતરણ કરીશું 
પ્યોર ઘાણીના શુદ્ધ સીંગતેલથી બનાવેલ ઊંધિયાની જે આવક થશે તે અમો ગાયમાતા માટે વાપરશું
હરિ હીરપરા જસદણ
મો.9723499211

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો