WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં રવિવારે ત્રણ સામાજીક કાર્યકરોની યાદમાં રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકિય કાર્યો થશે

જસદણમાં રવિવારે ત્રણ સામાજીક કાર્યકરોની યાદમાં રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકિય કાર્યો થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૨૬ ને રવિવારના રોજ જસદણના ત્રણ સ્વ સામાજીક કાર્યકરની યાદમાં રક્તદાન કેમ્પ સહિત અનેકાએક સેવાકિય કાર્યક્રમોની હારમાળા સર્જાશે આ અંગે તેમનાં પરિવારજનોએ મિત્રો અને જ્ઞાતિજનોએ શહેરની તમામ સંસ્થાઓ અને સેવા સાથે જોડાયેલાં તમામ લોકોને આ કાર્યમાં જોડાવવા અપીલ કરી છે. 
તાજેતરમાં થેલેસિમિયા પીડીત બાળકોને રક્તની સહાય આપવાના હેતુથી શહેરના ચિત્તલિયા કુવારોડ, સરદાર પટેલ ચોક નજીક આવેલ હીરપરા સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં જસદણ શહેર અને તાલુકાના હજજારો સ્વેછીક રક્તદાતાઓ ઊમટી પડશે જસદણના સ્વર્ગસ્થ વિપુલભાઈ વેલજીભાઈ હીરપરા, અંકુરભાઈ લક્ષ્મણભાઈ વઘાસીયા, પારસભાઈ રમેશભાઈ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રોએ રક્તદાન કેમ્પનું આયોજન ઉપરાંત અનેક સેવાકિય કાર્ય હાથ ધર્યું છે
ત્યારે રાજકોટ શહેર અને જીલ્લાના ગામોના થેલેસિમિયા પીડીત બાળકોની વ્હારે આવવા દરેક રક્તદાતાઓએ આગામી રવિવારે સવારે નવ વાગ્યેથી બપોરના બે વાગ્યા સુધીમાં હીરપરા વાડી જસદણ ખાતે ઊમટી પડવા હાકલ કરાય છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો