તાં.૦૨/૦૯/૨૦૨૪ શ્રાવણી અમાસ નિમિત્તે (ભાદરવી) મોક્ષધામ યુવા ગ્રુપ દ્વારા કોઠી ગામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન યોજવામાં આવે છે.
જેમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુતરા ઓ માટે લાડુ બનાવવાનું કાર્ય હોય,વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ કોઠી મોક્ષધામ માં વૃક્ષોની જાળવણી તથા લગભગ ૨ એકર માં ફેલાયેલ સુંદર વૃક્ષોની સારસંભાળ નું કાર્ય આ સમગ્ર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષધામ યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ ના અંતિમ દિવસે સવારમાં નીકળતી પ્રભાતફેરીમાં મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવે છે
તથા સુરાપુરા ના દર્શનાર્થે આવતા લોકો માટે ચા - પાણી ની વ્યવસ્થા કરવામાં આવે છે. 'જન સેવા એ જ પ્રભુ સેવા ' ઉક્તિ ને ચરિતાર્થ આ સમગ્ર મોક્ષ ધામ યુવાગ્રુપ ના સભ્ય શ્રી ઓ કરે છે.