WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં બસ અને બાઈક ટકરાતાં બે શખ્સે ડ્રાઈવરને માર્યો

જસદણમાં એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરને બે શખ્સોએ મારમારી ફરજમાં રૂકાવટ કરી હતી. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. 
આ બનાવ અંગે ભાવનગર રહેતા પૃથ્વીરાજસિંહ માનસિંહ ચૌહાણ(ઉ.વ.47) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યાં શખ્સના નામ આપતા જસદણ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

આ બનાવમાં ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તે એસ.ટી.માં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. હાલ એસ.ટી.માં તે બરવાળા-જામનગર રૂટની બસ ચલાવે છે. તેમની સાથે કંડકટર તરીકે અજીતભાઈ ડોડીયા છે. બસ નં.જીજે-18-ઝેડટી-117 7 લઈ બરવાળાથી વિંછીયા થઈ જસદણ ગયા ત્યારે એક બાઇકમાં એક સાયકલ આડી બાંધી હતી અને તે સાયકલ બસ સાથે અથડાઇ હતી આથી એ બન્ને શખ્સે મારી સાથે ગાળાગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

બાદમાં બસ લઈ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ જાવેદભાઈ જુસબભાઈ ખીમાણી(ઉ.વ.32) એ પણ બસના ડ્રાઇવર સામે પણ ગાળાગાળી કરવાની અને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો