WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અશ્વિન સાકરીયાની ત્રીજીવાર નિમણૂક: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અભિનંદન પાઠવ્યા

વિંછીયા: વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ત્રીજીવાર અશ્વિનભાઈ સાકરીયાની નિમણૂક નિમિત્તે સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, શિક્ષણવિદ ભુપતભાઈ કેરાળીયા, અને પૂર્વ પ્રમુખ નાથાભાઈ વાસાણી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી.

અશ્વિનભાઈ સાકરીયાની ત્રીજી વાર નિમણૂકને લીધે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, "અશ્વિનભાઈની નેતૃત્વક્ષમતાથી તાલુકા ભાજપનું સંગઠન મજબૂત બનશે અને તાલુકાની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપી થશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પ્રજાજનો સુધી પહોંચાડવા અને લોકોને લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશો."

સન્માન સમારોહમાં વિશેષ ક્ષણો

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અશ્વિનભાઈને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો અને આગેવાનોએ અશ્વિનભાઈના કાર્યકાળની પ્રશંસા કરી અને ભાવિ આયોજન માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

વિંછીયા યાર્ડ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં શહેર અને તાલુકાના ભાજપના આગેવાનો, સહકારી આગેવાનો અને સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.

આ તકે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્રીજી વાર પ્રમુખ તરીકે નિમણૂક પામેલા અશ્વિનભાઈ સાકરીયાને સર્વત્ર અભિનંદન મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો