WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયામાં યુવાનની હત્યાનો ખૂલતો ભોગ: ગ્રામજનોએ ગામ બંધ કરીને ન્યાયની માંગ ઊઠાવી 🆕 વાંચો વધુ માહિતી

વીંછિયાના યુવાનની હત્યાના ઘેરા પડઘા, ગામ બંધ
સાતેય હત્યારાની ધરપકડની માગણી સાથે મૃતકના પરિવારજનો અને કોળી આગેવાનોના ધરણાં, મૌન રેલી કાઢી મામલતદારને આવેદન
વીછિયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા વીંછિયા બોટાદ રોડ પર આઈસર રીપેર કરાવી રહ્યા હતા. ત્યારે અચાનક કેટલાક શખ્સોએ ત્યાં ધસી આવીને કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમને વીંછિયા બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવમાં શેખાભાઈ ગભરૂભાઈ સાંભડ સહિતના 7 આરોપીએ એકસંપ થઈ હત્યાનું કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતું. મૃતકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોવાનો ખાર રાખી તેમના પર હુમલો થયાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો અને બનાવની તટસ્થ તપાસ કરવા અને આરોપીઓની ધરપકડ કરવાન માગણી સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા વીંછિયા બંધનુ એલાન અપાયું હતું. જેને પગલે ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

ત્યારબાદ બપોરે કોળી સમાજના આગેવાનોએ મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને તમામ હત્યારાઓની ધરપકડ ન કરાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી આપી હતી. ઘનશ્યામ રાજપરા સંતાનમાં 4 પુત્રી અને એક પુત્ર છે. પોલીસે એક શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરી અન્ય હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

વીંછિયા પોલીસ સ્ટેશનમાં લખમણભાઈ શિવાભાઈ રાજપરાએ ફરિયાદ લખાવી છે. જેમાં મૃત્યુ પામનાર તેમના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંબડ તથા ત્રણ અજાણ્યા માણસો તેમજ તપાસમાં ખુલે તેઓએ કલમ 103(1), 115(2),118(2)54 અને 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી હતી. આ મર્ડરની તપાસ વીંછિયા પીએસઆઈ ઈન્દ્રજીતસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે. આ કામે એલ.સી.બી. તથા વીંછિયા પોલીસની જુદીજુદી ટીમ આરોપીઓને પકડવા માટે લાગી હતી. તેમાં એક અજાણ્યા શખ્સ અને એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને બાકીને ધરપકડ કરવા તજવીજ ચાલું છે. > કે.જી.ઝાલા -Dy.SP, ગોંડલ.

જે રીતે મારા સંતાનો રઝળ્યા તેવી રીતે તેના પણ રઝળવા જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી હું અહિયાથી જઈશ નહી. આ બબાલ છેલ્લા 5 વર્ષથી ચાલતી હતી. મારી બે દીકરીના લગ્ન હતા અને અમારા મકાન પાડી દીધા છતાં બિલાડીના બચોળીયાની જેમ સામાન ફેરવીને અમે અમારી બે દીકરીઓના પારકા આશરે લગ્ન કર્યા હતા. છતાંય મારા ઘરવાળાને મોતને ઘાટ ઉતારી દીધા. ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરીશ. > હંસાબેન-મૃતકના પત્ની

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો