જસદણ તાલુકાના સાણથલી ગામની સીમમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી એક ખૂંખાર દીપડાના આટાફેરા ચાલતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો. શિયાળુ પાકની મોસમ ચાલી રહી હોવાથી આ દીપડાના હાજરે ખેડૂતોના જીવને જોખમ ઊભું થયું હતું.
આ બાબતે વનતંત્રને જાણ કરવામાં આવતાં, તંત્રના જાંબાઝ જવાનોએ તરત જ પગલાં લીધાં. દીપડાના પગેરા શોધીને યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું. લાંબા પ્રયાસો બાદ આખરે વનતંત્રના કર્મચારીઓએ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી.
દીપડાને પકડ્યા બાદ તેને વનવિભાગના હવાલે સોંપવામાં આવ્યો, જેનાથી સાણથલી ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો.
તસ્વીર અને અહેવાલ: હુસામુદ્દીન કપાસી, જસદણ