જસદણમાં હાજી મુસાભાઈ ડેરૈયાની વફાત: મુસ્લિમ સમાજમાં શોકભીની લાગણી
જસદણ: મુસ્લિમ હાજી મુસાભાઈ હસનભાઈ ડેરૈયા (ઉ.વ.88 નિવૃત મામલતદાર) તે યુસુફભાઈ, અસલમભાઈ, રશીદાબેન (ભાવનગર) ફરીદાબેન (બોટાદ) વહીદાબેન (મુંબઈ) દિલશાદબેન (મહુવા) ના પિતા મોઈનભાઈના દાદા જીલુબેન, મ. આયશાબેન, મ.કુલસુમબેન,મ. હલીમાબેન,મ.હાજરાબેન, મ.શરીફાબેનના ભાઈની વફાત તા.13 એપ્રિલ 2025ને રવિવારના રોજ જસદણ મુકામે થયેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.14 એપ્રિલ 2025ને સોમવારના રોજ સવારે 10 થી 11 પુરષો માટે નગીના મસ્જિદ સ્ત્રીઓ માટે તેમનાં નિવાસસ્થાન જસદણ ખાતે રાખવામાં આવેલ છે મર્હુમ મુસાભાઈ ડેરૈયા જસદણ મામલતદાર પદેથી નિવૃત થયા પછી મોટા ભાગનો સમય સેવા પ્રવૃત્તિ માટે ફાળવ્યો હતો તેમનો નિખાલસ અને પરોપકારી સ્વભાવથી નાગરિકો એક નેકદિલ ઇન્સાન તરીકે ઓળખતા હતા તેમનું જીવન અલ્લાહમય હોવાથી તેઓને ખલીફા તરીકેની નવાઝીશ થઈ હતી તેમનાં દેહ વિલયથી એક ખોટ સર્જાયાનો લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો. શોક સંદેશો (મો.9925853186 પુત્ર) (મો.9016555756 પૌત્ર) ઉપર વ્યકત કરવો.
Tags:
Death