WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના મોતીચોક વિસ્તારમાં છેલ્લાં ૯૩ વર્ષથી પ્રાચિન ગરબી અખંડ જ્યોત જગાવી રહી છે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં મોતીચોક વિસ્તારમાં શ્રી નવરાત્રિ યુવક મંડળ દ્વારા ચાલતી પ્રાચિન ગરબીમાં છેલ્લાં ૯૩ વર્ષથી કોઈ વાદવિવાદ શોરબકોર વિના માતાજીની સરાધના થઈ રહી છે.

નાની બાળાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે એવાં આયોજકો દ્વારા રાસ ગરબા રમાડી અંબિકાની આરાધના થઈ રહી છે શહેરના હાર્દ સમા મોતીચોકમાં યોજાતી આ ગરબીનો પ્રારંભ જાણીતાં અગ્રણી સમાજસેવક સદ્દગત રતિલાલ અમૃતલાલ વ્યાસના પૂર્વજોએ કર્યોં હતો.

જે તે સમયે આ ગરબી જસદણનું ઘરેણું ગણાતી આટલાં વર્ષો પછી પણ એક ખરાં અર્થમાં આજના આઘુનિક જમાનાનો રંગ લાગ્યો નથી અને હિન્દુ ધારાધોરણ મુજબ ચાલે છે જેમાં કાયદેસર માતાજીની સ્તુતિ કરવામાં આવી રહી છે.

હાલ આ ગરબીનું સંચાલન અશોકભાઈ કનકરાય વ્યાસ ચોથી પેઢીએ કરી રહ્યા છે દરરોજ તાળીરાસ દાંડિયારાસ મંજીરારાસ ઘડારાસ દિવડારાસ સહિતનાં વિવિધ રાસ ગરબા લઈ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો