વિમાન ક્રેશ દુર્ઘટના અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજએ બે મિનિટ મૌન પાળી મૃતકોને અંજલિ અર્પણ કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગત ગુરુવારે બપોરે અમદાવાદથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ જતાં જેમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના પેસેન્જરો મૃત્યુ પામ્યાંની ઘટનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો એમાં મૃતકો અંગે રાજકોટનું ઘરેણું ગણાતી દાઉદી વ્હોરા સમાજની નુર મસ્જિદમાં આજે તમામ વ્હોરા સમાજના બિરાદરો એકત્ર થઈ મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળી તેમની રૂહને પાક પરવરદિગાર જન્નત બક્ષે અને તેમના પરિવારજનોને આ કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના દુઆ કરી હતી.
તસ્વીર: હુસૈનભાઈ તાજાણી રાજકોટ
Tags:
News