હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહ્યાં હતાં એ વિમાન ક્રેશ દુર્ઘટનામાં તેમનો દેહવિલય થતાં તમામ સવાર પ્રત્યે સોશ્યલ મીડિયામાં જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસી સહિત હજજારો દાઉદી વ્હોરા સમાજના લોકોએ દિલસોજી વ્યક્ત કરી હતી રાજકોટ સહિત ગુજરાત અને દેશ આઘાતમાં સરી પડ્યો છે ત્યારે વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો તેઓ દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ નામદાર ડો સૈયદના આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) ને તેઓ વારંવાર મળેલ હતાં ગુજરાતમાં ડો.સૈયદના સાહેબ જ્યાં જ્યાં પાવન પગલાં કરતાં ત્યાં તેઓના આશીર્વાદ લેવાં અચૂક પહોંચી જતાં ઇસ્વીસન 2019માં વિજયભાઈએ સુરત આવી મંચ પરથી સૈયદના સાહેબના દરેક લોકકાર્યના પ્રયાસોને બિરદાવ્યા હતાં અને જણાવ્યું હતું કે સૈયદના સાહેબના શુધ્ધ વિચાર થકી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને દરરોજ માર્ગદર્શન મળતું રહે છે દરમિયાન રાજકોટમાં સેવાભાવનાને વરેલી હેલ્પર હેન્ડ્સ સંસ્થાના હોજેફાભાઈ શાકીરએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો એર ઇન્ડિયાના દિવંગત યાત્રિકોના સ્વજનો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અમદાવાદ ખાતે ગુરુવારે બપોરે બનેલ આ ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરમાં શોકની કાલિમા સર્જાય છે.
Tags:
News