રિપોર્ટર: રાજેશ લિંબાસિયા
વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગઈ રાત્રે ગામમાં જુગાર રમતી એક ટોળકી પર અનિધિકૃત પ્રવૃત્તિની શંકા સાથે કોઈએ "પોલીસ આવી" તેવી બૂમ પાડી હતી. જેના પગલે ત્યાં હાજર અંદાજે 10 જેટલા શખ્સો ભયભીત થઈને જુદી-જુદી દિશામાં ભાગ્યા હતા.
ભાગતા ભાગતા મુન્નાભાઈ રાજપરા નામના વ્યક્તિએ એક દીવાલ કૂદીને બચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દીવાલની તુરંત બાજુમાં આવેલા ખાલી ઊંડા કૂવામાં અંધારાની વચ્ચે દેખાય ન હોવાથી મુન્નાભાઈ તેમા ખાબક્યા હતા. દુર્ભાગ્યવશ તેમનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં વિંછીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકનું શરીર કૂવામાંથી બહાર કાઢી રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.
વિંછીયા પોલીસે ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ હાથધરી છે તથા જુગાર રમતા અન્ય શખ્સોની ઓળખ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં દુઃખ તેમજ આશ્ચર્યનો માહોલ છે.
રિપોર્ટર: રાજેશ લિંબાસિયા