માંડવધાર નજીક છકડો-બાઈક અકસ્માત:રામપરાના યુવાનનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઈજાગ્રસ્તને ભાવનગર-બોટાદ ખસેડાયા
ગઢડા તાલુકાના માંડવધાર ગામ નજીક વળાંક પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવાન ગઢડાના રામપરા ગામના જેનતીભાઈ મનજીભાઈ શીશા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિને ભાવનગર અને બે વ્યક્તિઓને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.