રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઈ શાકીરએ પહેલગાવના હતભાગીઓને શોકાંજલિ અર્પી
રાજકોટના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઈ શાકીરએ શુક્રવાર ના દિવસે જમ્મુ અને કાશ્મીરના હતભાગીઓ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તદુપરાંત મૃતકોના સન્માનમાં બે મિનિટ મૌન પાળ્યું હતું.દાઉદી વ્હોરા સમાજના આ અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી.
Tags:
News