જસદણ શહેરમાં આટકોટ રોડ પર રાહદારીઓની સલામતી માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ફૂટપાથ આજે દબાણકર્તાઓના કબજા હેઠળ જોવા મળી રહ્યો છે. જેના કારણે રોડ પર ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરવાને બદલે રાહદારીઓને જીવના જોખમે વાહનોની વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. આટકોટ રોડ એ શહેરનો એક અત્યંત વ્યસ્ત માર્ગ છે.
અહીં એસ.ટી. બસ સ્ટેશન, અનેક હોસ્પિટલો, બેંકો અને સ્કૂલો આવેલી હોવાથી દરરોજ હજારો લોકોની સતત અવરજવર રહે છે. પાલિકા દ્વારા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આ ફૂટપાથ પર લારીઓ અને થડાવાળાઓએ ખુલ્લેઆમ દબાણ ઊભું કર્યું છે. આ દબાણના કારણે રાહદારીઓ માટે ચાલવાની જગ્યા જ બચી નથી. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે તો આ પરિસ્થિતિ વધુ જોખમી છે. તેઓને ફૂટપાથ છોડીને રોડ પર ચાલવાની ફરજ પડે છે, જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જસદણના આટકોટ રોડ પર ફૂટપાથ પર રેંકડીઓના પથારા, રાહદારીઓ પર જોખમ
જસદણ5 કલાક પેહલા
જસદણ શહેરમાં આટકોટ રોડ પર રાહદારીઓની સલામતી માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ફૂટપાથ આજે દબાણકર્તાઓના કબજા હેઠળ જોવા મળી રહ્યો છે. જેના કારણે રોડ પર ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરવાને બદલે રાહદારીઓને જીવના જોખમે વાહનોની વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. આટકોટ રોડ એ શહેરનો એક અત્યંત વ્યસ્ત માર્ગ છે.
અહીં એસ.ટી. બસ સ્ટેશન, અનેક હોસ્પિટલો, બેંકો અને સ્કૂલો આવેલી હોવાથી દરરોજ હજારો લોકોની સતત અવરજવર રહે છે. પાલિકા દ્વારા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આ ફૂટપાથ પર લારીઓ અને થડાવાળાઓએ ખુલ્લેઆમ દબાણ ઊભું કર્યું છે. આ દબાણના કારણે રાહદારીઓ માટે ચાલવાની જગ્યા જ બચી નથી. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે તો આ પરિસ્થિતિ વધુ જોખમી છે. તેઓને ફૂટપાથ છોડીને રોડ પર ચાલવાની ફરજ પડે છે, જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે આટલું ખુલ્લું દબાણ હોવા છતાં જસદણ નગરપાલિકાનું તંત્ર જાણે કે આંખ આડા કાન કરીને બેઠું છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પાલિકાની આ ઉદાસીનતાને કારણે રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે અને દબાણકર્તાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. અનેક વાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં કશી કાર્યવાહી થતી નથી.
રાજકોટ સોમનાથ હાઇવે પર ગોંડલથી આગળ જતાં જેતપુર સુધી સિક્સલેનની કામગીરી ચાલી રહી છે અને તેના લીધે ડાઇવર્ઝન અપાર કાઢવામાં આવ્યા છે, રસ્તા ધુળિયા બની ગયા છે અને હવે તો ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે અહીંથી પસાર થવું એટલે સાત કોઠા વીંધવા જેવી પીડા થાય તે સ્વાભાવિક છે. હાલ તો વેકેશન છે, એટલે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને રાહત છે પરંતુ અપડાઉન કરતા નોકરીયાતોની હાલત તો ભયંકર ખરાબ થઇ પડી છે. જે રસ્તો માત્ર 20 થી 25 મીનિટમાં પસાર કરી શકાતો હતો તેના પરથી દોઢ થી બે કલાક સુધી નીકળી જ નથી શકાતું. ભારેખમ મશીનરીના લીધે પસાર થવામાં પણ ડર લાગે છે.
ટ્રાફિક ઓછો કરવા આ સુવિધા આપવામાં આવી રહી છે તે સમજી શકાય પરંતુ જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી તો ટ્રાફિક પોલીસ મૂકવા જોઇએ ને. આ તો અમુક દાદાગીરી કરતા વાહનના ચાલકો આગળ વાહન અડાડીને ઉભા રહી જાય પછી નાના વાહનોનો વારો આવતો જ નથી. સિક્સલેન તો જ્યારે બનશે ત્યારે, પરંતુ અત્યારે જે પીડા ભોગવવી પડે છે તેના પરથી તો એવી ઇચ્છા થઇ આવે છે કે આ માર્ગનો કોઇ વૈકલ્પિક માર્ગ મળી જાય તો સારું.
જસદણ અને આટકોટને જોડતો કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં નિર્માણ પામેલો ફોરલેન રોડ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય લેવલિંગ ન કરવામાં આવતા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસા પહેલા જ આ રોડ પર પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડના નિર્માણમાં કોન્ટ્રાક્ટરની આ ગેરરીતિઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, વરસાદની મોસમ આવ્યા પહેલા જ રોડ તળાવમાં ફેરવાઈ ગયો છે. તો ચોમાસામાં આ રોડની શું દશા થશે એ વિચારવું જ રહ્યું. આ રોડમાં પાણી ભરાવાના કારણે રોડની સપાટી દેખાતી નથી અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.