WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આજે સાંજે રાજકીય સન્માન સાથે કરાશે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર

વિજયભાઇ રૂપાણીના નિધનથી શ્રેષ્‍ઠ સંગઠક, નિર્મળ નેતૃત્‍વ, સહજ સમાજ સેવકની ખોટ ભાજપ અને ગુજરાતને પડીઃ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
અમદાવાદ ખાતે થયેલ અત્‍યંત દુઃખદ વિમાન દૂર્ઘટનામાં હતભાગી દિવંગતો અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવતા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્‍યું હતું કે અત્‍યંત દુઃખદ વિમાન દુર્ઘટના ની કરૂણાંતિકા થી જનમાનસે ખૂબ જ આઘાત ની અનુભૂતિ કરી છે.
 અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન  દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ સ્‍વર્ગવાસી થયેલ છે ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
વિજયભાઈ રૂપાણીએ બુથ લેવલ થી ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી સંભાળી રાજકોટના મેયર, પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ,સંકલ્‍પ અમલીકરણના ચેરમેન,સરકારના પ્રવક્‍તા અને રાજ્‍યસભાના સાંસદ, અને રાજ્‍ય સરકારમાં વાહન વ્‍યવહાર મંત્રી બન્‍યા અને ત્‍યારબાદ રાજ્‍યના મુખ્‍યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ખરા અર્થમાં સંવેદનશીલ પ્રજાભિમુખ સરકારની ઓળખ ગુજરાતની જનતાને કરાવી હતી. સરળ સ્‍વભાવ અને કુશળ નેતૃત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી મુખ્‍યમંત્રી હોવા છતાં ખરા અર્થમાં કોમનમેન સાબિત થયા હતા.
દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીના નિધન ના સમાચાર સાંભળી ગુજરાતભરમાં જયારે શોકનું મોજું પ્રસરી ગયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો