WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !


  • પ્રમુખના પતિએ સિક્કાનો દુરુપયોગ કરી બાંધકામ ખડકી દીધાની ફરિયાદ કરાઇ
  • નવા બસસ્ટેન્ડ પાછળના સમાત રોડ પર કરોડોના ખર્ચે ચાલી રહ્યંુ છે ઇમારતનું બાંધકામ

જસદણમાં જાણે કે નગરપાલિકા તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બિલ્ડરો બાંધકામની મંજુરી લીધા વગર જ બેફામ બિલ્ડીંગો ખડકી રહ્યા હોવાથી લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જસદણમાં પાલિકાની જમીન પર મંજૂરી વગર જ ત્રણ માળ ખડકી દેવાયા !


હાલ જસદણના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા સમાત રોડ પર બિલ્ડર્સ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જસદણ નગરપાલિકાની આ સરકારી જમીનમાં પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓની મિલીભગતથી પંચરોજકામમાં પાલિકા પ્રમુખના સિક્કાનો દુરુપયોગ કરવા સહિતના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેના આધારે આ ગેરકાયદેસર બાંધકામ ખડકવામાં આવતું હોવાની જસદણના સામાજિક કાર્યકર સુરેશભાઈ નથુભાઈ છાયાણી દ્વારા પાલિકાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું છે.


આ પ્રકરણમાં વધુ એક નવો વળાંક સામે આવ્યો હતો. જેમાં બિલ્ડર્સ દ્વારા જસદણ નગરપાલિકા પાસે આ બાંધકામ કરવાની ઓફલાઈન મંજૂરી પણ લેવામાં આવી નથી અને નગરપાલિકાની મંજુરી લીધા વગર જ ત્રણ માળ ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જસદણમાં બિલ્ડર્સે આવડું મોટું ત્રણ માળનું ગેરકાયદેસર બિલ્ડીંગ ખડકી દીધું છે.


છતાં આજદિન સુધી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તેને કેમ અટકાવવાની કવાયત હાથ ધરવામાં આવી નથી ? શું આ ગેરકાયદેસર ઉભેલા બિલ્ડીંગમાં જસદણ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની પણ સંડોવણી છે કે શું ? કોઇની મીઠી નજર તળે આ બધું ચાલી રહ્યું છે છતાં કોઇને કશું કહેવા વાળું કે રોકવા વાળું નથી? તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.


હવે જસદણ નગરપાલિકા તંત્ર શું આ બિલ્ડર્સને માત્ર નોટીસ આપી હાશકારો અનુભવી લેશે કે પછી આ ગેરકાયદેસર ઉભેલા બિલ્ડીંગને તોડી પાડી કાયદાનું ભાન કરાવશે વગેરે વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે.


ઓનલાઇન મંજૂરી લઇ લીધી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે

એ લોકોએ બાંધકામની નગરપાલિકા પાસેથી કોઈ ઓફલાઈન મંજૂરી લીધી નથી. એ લોકોએ ઓનલાઈન મંજૂરી લીધી છે કે નહી તેની તપાસ કરાશે. જો આ લોકોએ મંજૂરી લીધા વગર ત્રણ માળ ખડકી દીધા હશે તો તેને અમે નોટીસ આપીશું અને મંજુરી લીધા વગર એ લોકો આ બાંધકામ કરી ન શકે. મેં જાણ્યું એટલે એ લોકોએ પાલિકાની ઓફલાઈન મંજૂરી લીધી નથી અને ઓનલાઈન મંજુરી અંગે અમે ચેક કરીશું. અમે એમને નોટીસ આપીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. > અશ્વિન વ્યાસ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો