WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં ગણેશજીને અન્નકોટ ધરાયો

જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં ગણેશજીને અન્નકોટ ધરાયો
હરિ હીરપરા દ્વારા જસદણ
તા.૮

જસદણ શહેરના મોતીચોક કા રાજા પંડાલમાં ગુરુવારે ગણેશજીને અન્નકોટ ધરવામાં આવ્યો હતો આ તબક્કે અનેક ગજાનન ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યાં હતાં જસદણના મોતીચોક વિસ્તારના યુવા વેપારીઓ છેલ્લાં ૧૫ વર્ષથી ગણેશજીની હરખભેર સ્થાપના કરે છે આ સ્થાપના સમયથી વિસર્જન સુધી મોતીચોકનું મિત્ર મંડળ તન મન ધનથી દાદાના જીજાનપૂર્વક વિવિધ પ્રસંગો ઉજવે છે ખાસ કરીને બન્ને સમય આરતીમાં હૈયું દળાય એટલાં ભાવિકજનો ઉમટી પડે છે દસ દીવસ બિરાજતાં ગણપતિ બાપ્પા પંડાલની વ્યવસ્થામાં મોતીચોકના સેવાભાવી વેપારી યુવાનો દરેક દર્શનાર્થીઓની પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી ઉપરાંત વ્યવસ્થા પણ અનેરી ગોઠવે છે ત્યારે આજે ગુરુવારે મોતીચોક મિત્ર મંડળ એ અન્નકોટનું વિશેષ આયોજન કરતાં ભાવિકો ભાવવિભોર બની ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ: પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો