WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં રેશનકાર્ડ E-KYCની કામગીરીમાં હવે શિક્ષકોને જોડાશે

રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ ઇ-કેવાયસીની કામગીરી ગોકળગાય ગતિ ચાલી રહી હોય મંગળવારે પુરવઠા વિભાગના સચિવ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં હવે આ કામગીરીમાં શાળાના શિક્ષકોને પણ જોડવા નિર્ણય કરાયો છે. પુરવઠા વિભાગના સચિવે આ કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી લેવા તાકીદ કરી છે.
રાજકોટ જિલ્લામાં 37 લાખ લોકોના રેશનકાર્ડમાં નામ છે અને તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 6 લાખ લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે હજુ પણ 30 લાખ રેશનકાર્ડધારકોની ઇ-કેવાયસીની કામગીરી બાકી હોય ગાંધીનગરથી પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે અને તમામ જિલ્લાના પુરવઠા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ડિસેમ્બરના અંત સુધીમાં ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક આપ્યો છે. આ કામગીરી વેગવંતી કરવા માટે શિક્ષકોને ઇ-કેવાયસીની કામગીરીની જવાબદારી સોંપવા પણ નિર્ણય કરાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને ઇ-કેવાયસીની કામગીરીમાં જોડવામાં આવશે. શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇ-કેવાયસી જે તે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ મારફત ઓનલાઇન એપથી કરવાના રહેશે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી ઝડપી બનાવવા ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ ઇ-કેવાયસી કામગીરીની જવાબદારી સોપવા નિર્ણય કરાયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 17 ટકા કામગીરી જ પૂર્ણ થઇ હોય બે માસમાં 83 ટકા કામગીરી મોટો પડકાર બની રહે તેવા સંકેતો મળી રહ્યા છે. શિક્ષણકોને ઈ-કેવાયસીની જવબાદારી સોંપી અપડેટની કામગીરીને ઝડપી બનાવાશે અને બે માસમાં સમગ્ર કામગીરી પૂરી કરવા લક્ષ્યાંક રખાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો