WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સનાળી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામા લોકોએ રકતદાન કર્યું

સનાળી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામા લોકોએ રકતદાન કર્યું 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિંછીયા તાલુકાના સનાળી ગામે તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સંતો દ્વારા લોકોને કંઈક ઉપયોગી બનીએ એ હેતુથી ભજન ભોજન સાથે દર્દીઓને મદદરૂપ બનવાની ભાવના સાથે એક રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 121 લોકોએ પોતાનું રક્ત આપી આયોજકોને ગર્વભેર શાબાશી આપી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ગરમી હોવાથી રાજ્યમાં ઠેર ઠેર લોહી ઓછું મળવાના કારણે દર્દીઓને લોહી મેળવવા માટે અહીં તહીં ભટકવું પડે છે ત્યારે દુનિયાને એક અલગ રસ્તે લઈ જનારા સંતોની જસદણ અને વીંછિયા પંથકમાં વાહ વાહ થઈ રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો