WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

દાઉદી વ્હોરા સમાજના બાવનમા દીવગંત ધર્મગુરુની આજે ૧૧૦ મી જન્મજયંતિ

દાઉદી વ્હોરા સમાજના બાવનમા દીવગંત ધર્મગુરુની આજે ૧૧૦ મી જન્મજયંતિ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ)ની આજે અંગ્રેજી તારીખ ૬ માર્ચ ૧૯૧૫ મુજબ ૧૧૦મી જન્મજયંતિ હોવાથી લાખો દિલોમાં ધબકતા આ સિતારાને વ્હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે.

ઈ.સ.૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાવાદી ડો. સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી જેના કારણે સમાજ તંદુરસ્ત બન્યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળ્યું તેમણે આરોગ્ય, શિક્ષણ, ધાર્મિકતા, ઈમાનદારી, રહેઠાણ જેવા માનવજીવનને સ્પર્શતા પ્રશ્નો અંગે પણ ખાસ ધ્યાન આપ્યું. ખાસ કરીને તેમણે સમાજના લોકોને એક ટકનું વિનામૂલ્યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા ૧૩ વર્ષથી વિશ્વના અનેક દેશોના હજારો વ્હોરા પરિવારોને આજે પણ ઘર બેઠા તૈયાર ભોજન મળી રહ્યું છે. આવા માનવતાવાદી સંતની આજે જન્મજયંતિ પ્રસંગે લાખો વ્હોરા અનુયાયીઓ યાદ કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો