WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદમાં અંધશ્રદ્ધા ફેલાવતો 51 લાખ માંગનાર ભૂવો ઝડપાયો

બોટાદમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ફેલાવતા એક ભૂવાને પકડી પાડ્યો છે. ગગજી ઝૂંપડી વિસ્તારમાં રહેતા દિનેશ ઈશ્વર ધારીયા પરમાર નામના વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી લોકોને છેતરતો હતો. તે દોરા-ધાગા, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિ અને દુખ-દર્દ મટાડવાના નામે લોકો પાસેથી મોટી રકમ પડાવતો હતો.
આ મામલે લીમડીના જયેશભાઈએરાજકોટ વિજ્ઞાન જાથા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભૂવાએ છૂટાછેડાના એક કેસમાં ફરિયાદી પાસે 51 લાખ રૂપિયાની માગણી કરી હતી.
વિજ્ઞાન જાથાએ મીડિયા અને પોલીસની હાજરીમાં ભૂવાના ઘરે જઈને તેની પોલ ખોલી હતી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસની મદદથી ભૂવાની અટકાયત કરી અને તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. પકડાયા બાદ દિનેશ પરમારે કબૂલાત કરી હતી કે તે હવે ક્યારેય દોરા-ધાગા જેવી પ્રવૃત્તિ નહીં કરે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો