WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈએ હેમાબેન આચાર્યના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈએ હેમાબેન આચાર્યના નિધન અંગે શોક વ્યક્ત કર્યો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આજે જનસંઘના સ્થાપક સદસ્ય, ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજ્યના પુર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યના નિધન અંગે શોક વ્યક્ત કરી જણાવ્યું હતું કે હેમાબેન આપણી વચ્ચે નથી એવું જાણવામાં આવતાં શોકની લાગણી અનુભવી હતી વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે જવાબદારીપૂર્વક અને વફાદારી કામગીરી કરી હતી ખાસ કરીને તેઓ વર્ષો પહેલાં રાજ્યના આરોગ્ય પ્રધાન તરીકે જબરજસ્ત કામગીરી કરી દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરી તે લોકોને આજીવન યાદ રહેશે પાર્ટીના લોકો પણ ખોટું કરતાં હોય તો તેમની સામે પણ અવાજ ઉઠાવ્યો છે આવા મહામાનવનું યોગદાન જીવંત રહેશે વિશ્વકર્મા દાદા સદ્દગત હેમાબેનને સદ્દગતી અર્પે અને તેમના પરિવારજનોને આ કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના વિજયભાઈએ અંતમાં કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો