WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પરના ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ: જયેશ કલ્યાણી

જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પરના ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ: જયેશ કલ્યાણી 
જસદણ શહેરના આટકોટ રોડ બાયપાસ સર્કલ આસપાસ ઠેરઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ખાડાઓ અકસ્માતનું કારણ બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે એમ સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણી એ જણાવ્યું હતું તેમનાં જણાવ્યાં મુજબ 

આટકોટ રોડ બાયપાસ સર્કલ જસદણ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાંથી રોજેરોજ હજારો વાહનો પસાર થાય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ રોડ પરના ખાડાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નાના-મોટા વાહનચાલકોને આ ખાડાઓના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય અનેકગણો વધી જાય છે.

સ્થાનિક વાહનચાલકો દ્વારા જસદણ નગરપાલિકા તંત્રને આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગણી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ પરના ખાડાઓને બુરવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી વાહનચાલકો અને રાહદારીઓ સુરક્ષિત રીતે પસાર થઈ શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં મોટા અકસ્માતો થવાની સંભાવના છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી માંગ જસદણના સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ ઉઠાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો