જસદણ નગરપાલિકામાં રોડના કામમાં જબરો ભ્રષ્ટાચાર છતાં ફરી કામ શરૂ થયું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ચિતલીયારોડ પર રૂપિયા સાડા ત્રણ કરોડથી પણ વધારે રકમનો રોડ જે બની રહ્યો છે જેમાં લોટ પાણી અને લાકડા જેવું કામ હોવાથી આ અંગે આ જ વૉર્ડ નંબર 5 ના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ કામ અંગેની જાણ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને કરી હતી.
આ અંગેનું મોટી રકમનું બિલ પણ હર્ષદીપ એજન્સીને ચૂકવ્યાની જાણ કરી હોવા છતાં આજે ફરી ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં જેમાં પણ અનેક ગેરરીતિ ઉડીને આંખે વળગે છે સુરેશભાઈ એ જણાવ્યું હતું કે આ રોડ પર વરસાદી પાણીનો નિકાલ નથી રોડનું લેવલીંગ બરોબર નથી જે માલ વપરાશમાં છે તે હલકી ગુણવત્તાનો છે.
ત્યારે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની મીલીભગત છે એવો પણ આક્ષેપ કર્યો હતો. સુરેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના જેટલા પણ અધિકારીઓ કર્મચારીઓ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે અને જે લોકો વિવિધ વેરાઓ ચૂકવે છે તેઓના નાણાં બરબાદ કરી રહ્યાં છે.
તેમને ડિસમિસ કરી તેઓની સંપતિ ટાંચમાં લઈ જેલ ભેગા કરવાની જરૂર છે કારણ કે જસદણ નગરપાલિકાના એક પણ કામમાં ભલીવાર નથી થઈ કરોડો રૂપિયાના રોડ રસ્તા બન્યાં છે પણ એમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી કેટલાક રોડ રસ્તાનું નિશાન પણ જોવા મળતું નથી.
આવી અનેક ભ્રષ્ટાચારી એજન્સીઓને અત્યાર સુધીમાં અબજો રૂપિયાના બિલ પણ ચૂકવાય ગયાં છે અધિકારીઓ તેમના મળતિયા હોવાથી પ્રજાની ઘોર ખોદાઈ ગઈ છે પણ આવા હરામખાયા પાપીઓને કઈ થતું નથી આ પાપીઓ બિલ્ડરોના ખોળામાં બેઠાં હોય છે એટલે જસદણના રોડ ઉપર ચાલીને જવું હોય તો અનેક વિચાર કરવાં પડે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે કઈ પગલા ભરશે કે કેમ? એવો લાખ મણનો સવાલ સુરેશભાઈ પટેલએ અંતમાં કર્યો હતો.