WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

યુદ્ધ દરમિયાન આપણે શું કરી શકીએ છે?

ભારત પાક. વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું.૮ ડિસેમ્બર ૧૯૭૧ ની રાત હતી. પાકના બોમ્બરોએ ભુજમાં આવેલા ઇન્ડિયન એર ફોર્સના બેઝ કેમ્પના રન વેને સતત બોમ્બમારો કરીને તોડી નાખ્યો. રનવે તુટી જવાથી વળતો હુમલા કરવા શક્ય નહોતા. કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ રન વે રીપેર થાય તે અનિવાર્ય હતુ.

રનવેને જે મોટે પાયે નુક્સાન થયું હતું તેને ફરીથી બનાવવા માટે સરખું કરવા માટે મોટી સંખ્યામાં માણસોની જરૂર હતી. માધાપર ગામની મહિલાઓને આ વાતની ખબર પડી ગામની ૩૦૦ મહીલાઓ ભેગી થઈ અને રનવે રીપેર કરવાનું કામ ઉપાડ્યું. એક બોમ્બ માથા પર પડે તો ખેલ ખલાસ એવી સ્થિતિમાં પણ જાનનું જોખમ લઈ આ વીરાંગનાઓ રનવે રીપેર કરવા પહોંચી ગઈ.

માત્ર સુખડી અને મરચા ખાઇને આ મહિલાઓએ આ ૩૦૦ વીરાંગનાઓએ ૭૨ કલાકમાં ઇન્ડીયન એર ફોર્સનો રનવે રીપેર કરી આપ્યો.૧૯૭૧ ના એ યુદ્ધમાં પાક. સામે આપનો વિજય થયો એમાં માધાપર ગામની મહિલાઓનો બહુ મોટો ફાળો હતો.

યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જ્યારે ભુજની મુલાકાતે આવ્યા ત્યારે આ બધી બહેનોને મળ્યા. એ વખતે ઇન્દિરા બોલેલા કે "
આજે ભારત પાસે એક નહી ૩૦૦ રાણી લક્ષ્મીબાઈ છે "

ભારત સરકારે આ બહેનોની દેશભક્તિથી રાજી થઈને તે સમયે ૧૯૭૧ માં ૫૦,૦૦૦ હજારનું ઇનામ આપ્યું. આ બહેનોએ પ્રથમ તો એમ કહીને રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો કે અમે તો માત્ર હમારી ફરજ બજાવી છે. પરંતુ રકમ સ્વીકારવા બહુ વિનંતી કરી ત્યારે એ રકમ સ્વીકારીને માધાપર ગ્રામ પંચાયતને આપી દીધી કે જેથી એ રકમમાંથી ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ બનાવી શકે.
યુદ્ધ થાય ત્યારે આપણે શું કરવાનું એ પુછવાવાલાને આ ઘટના પરથી પ્રેરણા લેવી જોઈએ.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો