હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં, બાપુનગરના ઉદ્યોગ વિસ્તારમાં, આવેલ વીસ-પચીસ દુકાનો વાળી બિલ્ડીંગ નાં માલિક, મુંબઈનાં રહીશ જુઝરભાઈ તાહેરઅલી વિગેરે ની માલિકીની આવેલ છે. તેમાં ભાડુંઆતો સામે દુકાનો ખાલી કરાવવા કેસો કરવામાં આવેલ છે. તેમાં ચાર દુકાનો રાજકોટનાં રહીશ મુખ્તારભાઈ કે. હિરાણી પાસે ભાડે છે. જેમાં બોમ્બે સિલ્વર વર્ક્સ નામથી ચાંદીની આઈટમનું ઉત્પાદન કરવામાં આવે છે.
તે દુકાનો-૪ ખાલી કરાવવા ચાર દાવાઓ મકાન માલિક તરફથી વર્ષ-૨૦૦૬ ની સાલમાં નામદાર એડિશનલ જજ સ્મોલ કોઝ કોર્ટ, રાજકોટ સમક્ષ ચલાવવામાં આવેલ હતાં. તે સામે ભાડુઆત તરફથી પ્રમાણિત ભાડું નક્કી કરાવવા બે અરજીઓ દાખલ કરવામાં આવેલ હતી. મકાન માલિક તરફથી દાવાના કારણો તરીકે, ચડત ભાડા નું કારણ તથા ભાડાવાળી જગ્યા વપરાતી નથી, તેવું નોનયુજ નું કારણ દાવાઓમાં દર્શાવવામાં આવેલ. તે દાવાઓમાં ભાડુઆત પક્ષે વકીલ શ્રી અબ્બાસઅલી જી. વાઘ રોકાયેલ હતાં.
અને દાવાઓ સામે કાનૂની બચાવ રજૂ કરેલ હતાં. તે બચાવ માન્ય કરીને વર્ષ-૨૦૧૪ માં વાદી નાં દાવાઓ ચારેય નામંજૂર (રદ્દ) કરેલ અને ભાડુઆત (પ્રતિવાદી) તરફેની બંને અરજી મંજૂર કરેલ હતી. તે જજમેન્ટ થી નારાજ થઈ મકાન માલિક (વાદી) તરફથી રાજકોટનાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં છ અપીલો દાખલ કરવામાં આવેલ હતી. તે અપીલોમાં પ્રતિવાદી-ભાડુઆત તરફે વકીલ શ્રી અબ્બાસઅલી જી. વાઘ તથા વકીલ તસ્નીમબેન એસ. સાદીકોટ યે બચાવ પક્ષેની દલીલો રજૂ કરેલ હતી. અને કેસ કામમાં જે ભાડું ચડત થયેલ, તે માટે ભાડુઆત ની કસુર નથી.
પરંતુ મુંબઈ રહેતાં મકાન માલિક યે પોતાનાં સરનામાં જણાવેલ નથી. તેમ ખુદ મકાન માલિક તરફે કસુર છે. અને ભાડુઆત હરહંમેશ ભાડું ભરવાને તૈયાર અને ખુશી છે, તેની મુદ્દાસર રજૂઆત કરેલ હતી. તેમજ ભાડાવાળી જગ્યા વપરાતી નથી, તેવું કહેનાર વાદી મકાન માલિકનું પર્સનલ નોલેજ નથી. તેમજ જે પુરાવા રજૂ કરવામાં આવેલ છે, તે ભાડુઆતની કસૂર પુરવાર કરવા પર્યાપ્ત નથી. તેમ દલીલ સાથે આધારમાં નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટનાં ઓથોરિટીઝ આધારો રજૂ કરેલ હતાં.
નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ યે ભાડુઆત પક્ષેથી રજૂઆત કરવામાં આવેલ બચાવ સાબિત માનેલ છે. ચડત થયેલ ભાડા અંગે ભાડુંઆત ની કસૂર હતી નહીં, તેમ સાબિત માનેલ છે. તેમજ બચાવમાં રજૂ કરવામાં આવેલ તમામ ઓથોરિટી જજમેન્ટ લાગુ પડતાં હોવાનું માનીને મકાન માલિક વિરુદ્ધ નોનયુઝ નું કારણ પણ એવિડન્સ એક્ટની કાયદાની જરૂરિયાત મુજબ પુરવાર થતાં નથી, તેમ સાબિત માની મકાન માલિક તરફેની તમામ છ અપીલો એકસાથે નામંજૂર (ડિસમિસ) કરેલ છે.