જસદણના સેવાભાવી રાજકીય અગ્રણી જમાલભાઈ પરમારનું નિધન: ગુરુવારે બેસણું શુક્રવારે જીયારત
જસદણ: સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી જમાલભાઈ હબીબભાઈ પરમાર તે હારુનભાઈ, હુસેનભાઇના ભાઈ અસ્લમભાઈના પિતા મજીદભાઈ (નગરપાલિકા) ના કાકાનું તા.28 મે 2025ને બુધવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.29 મે 2025ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 તેમનાં નિવાસસ્થાન સિવિલ હોસ્પિટલ રોડ ગોકુલચોક નજીક જીયારત (કુરાનખ્વાની) તા.30 મે 2025ને શુક્રવારના રોજ સવારે 9:30 થી 11 નગીના મસ્જિદ જસદણ ખાતે રાખવામાં આવેલ છે સદ્દગત જમાલભાઈ એક કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે આજીવન રહી લોકોના અનેક પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડી એક ખરા અર્થમાં લોક સેવકની ભુમિકા ભજવી હતી ખાસ કરીને પાણી ગટર રોડ રસ્તા અને આરોગ્યના ઘણા પ્રજાકીય પ્રશ્નો અંગે તેઓ તંત્ર સુધી પહોંચી પ્રશ્નો હલ કરાવ્યા હતા તેમનાં નિધનને લઈ લોકોએ એક સેવક ગુમાવ્યાનો વસવસો કર્યો હતો ટેલિફોનીક શોક સંદેશો મો.7985650009,8849386892 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death