વિંછીયા સમસ્ત ગામ શુક્રવારે સેવાભાવી તબીબ મકાણી સાહેબના નિધનના માનમાં અડધો દિવસ બંઘ પાળી સાંજે શોકાંજલિ અર્પશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયાના જુની પેઢીના જાણીતા સેવાભાવી તબીબ જે એમ મકાણીનું તાજેતરમાં અમેરિકા મુકામે ગત તા.25 મે 2025ના રોજ નિધન થતાં વીંછિયા જસદણ પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે આગામી શુક્રવારના રોજ અમેરિકન સરકારના નિયમ મુજબ તેમના અંતિમ સંસ્કાર હોય ત્યારે સમસ્ત ગામ અડધો દિવસ પોતાના ધંધા રોજગાર શોકમય બંઘ પાળી અને રવિવારે સાંજે ચાર કલાકે દેરાવાસી જૈન વાડી ખાતે શોકાંજલિ અર્પણ કરશે સામાન્ય રીતે આજે પૈસાદાર લોકો હજું વધું ભેગું થાય તે માટે રાત દિવસ પૈસા પાછળ દોડી રહ્યાં છે ત્યારે વીંછિયાના આ તબીબ મકાણીએ તેમનાં જીવનમાં હજજારો દર્દીઓની સારવાર તો કરી જ હતી પણ ગરીબ દર્દીઓને દવા જમવાના ભાડાના પૈસા આપી મદદ કરી એક ખરાં અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું તેઓ છેલ્લાં દોઢ વર્ષથી અમેરિકા રહેતા તેમનાં તબીબ સુપુત્ર સાથે અમેરિકા ગયાં હતાં તે પૂર્વે વિંછીયામાં જ પોતાની પ્રેક્ટિસ શરૂ રાખી શ્રી નવ જાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ, અજમેરા ધોળકિયા હાઈસ્કુલ જેવી અનેક શિક્ષણ અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાય પોતાનું સેવાકાર્ય ધબકતું રાખ્યું હતું આ ઉપરાંત સમુહ લગ્ન ચક્ષુદાન પ્રવૃત્તિમાં પણ અવ્વલ રહ્યાં હતાં આટલું જ નહીં પરંતુ પોતાના સુપુત્ર અમેરિકામાં ડોક્ટર હોય ત્યાં જતાં પહેલાં તેમણે પોતાની કરોડો રૂપિયાની સંપતિ પણ દાનમાં આપી અનેકના જીવનમાં અંજવાળુ પાથર્યું હતું તેમનાં પરિવારમાં પત્ની જયશ્રીબેન સુપુત્ર ડો. હરિકૃષ્ણભાઈ, સુપુત્રી યુક્તિબેન, કૃતિબેનને વિલાપ કરતાં છોડી ગયેલ છે શુક્રવારે વિંછીયા ના તમામ વેપારીઓ અડધો દિવસ બંઘ પાળી સાંજે શોકાંજલિ અર્પણ કરી ડો. મકાણી સાહેબના પુણ્યાનાર્થે દાન ધર્માદો પણ કરશે.