WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

શું 500 રૂપિયાની નોટ બંધ થશે ?

દેશમાં ફરી એક વાર નોટબંધીની ચર્ચા શરૂ થઈ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવાની ભલામણ કરી છે ૮ નવેમ્બર ૨૦૧૬ ની રાતે અચાનક નોટબંધી કરવામાં આવી આના કારણે લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમના મનમાં એક આશા હતી કે ભ્રષ્ટાચારનો અંત આવશે. આ પગલાથી ભ્રષ્ટાચારનો અંત આવ્યો નહી જોકે ડિજિટલ ચુકવણીમાં વધારો જરૂર થયો.

જ્યારે ૧૯ મે ૨૦૨૩ના રોજ બે હજારની નોટ જારી કરવામાં આવી ત્યારે લોકો વિચારતા હતા કે ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી ૨૦૦૦ રૂપિયાની નોટ બહાર પાડવાનો શું મતલબ? ધીમે ધીમે ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં આવી.
હવે ડિજિટલ પેમેન્ટએ મોટી નોટોની જરૂરિયાત ઘટાડી દીધી છે. આમ છતાં જોવામાં આવે છે કે બજારમાં મોટી ખરીદી કરવા ૫૦૦ ની નોટનો જ ઉપયોગ થાય છે . આપણે જોયું કે નોટબાંધી પછી પણ ઘણા ભ્રષ્ટ લોકોના ઘરોમાંથી નોટોના પહાડ મળી આવ્યા છે આમાં જજ સાહેબ પણ સામેલ છે .
નાની મોતીમાં નાનું રોકાણ અને કિંમતી ધાતુઓમા મોટા રોકાણ થઈ શકે છે જો ભ્રષ્ટાચારને કાબુમા લેવો હોય તો પહેલા સરકારી સેવાઓની પરવાનગી લેવાની પ્રકિયા ઓનલાઇન થવી જોઈએ કોઈએ પણ કોઈ પણ કામ માટે સરકારી ઓફિસમાં જવું જ ના પડે 
બાકી નોટબંધી પછી ભ્રષ્ટાચાર ઓછો થયો છે ના ત્રાસવાદી હુમલા ઓછા થયા છે. હજુ લોકો પાસે ૨ હજારની નોટો છે ૫૦૦ ની નોટો બંધ કરવાની હાલમાં કોઈ જરૂર જ નથી જો ૫૦૦ ની નોટો બંધ થશે તો બધા જ ભારતીયો હેરાન પરેશાન થઈ જશે. બજારમાં મંદી આવશે લોકો બેંકોની લાઇનમાં ઊભા રહી રહીને કંટાળી જશે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૮૨૦૦૧૩૧૪૫૫

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો