વિદ્યાર્થીઓ અને વાલીઓએ બહોળી સંખ્યામાં લીધો લાભ બઝાર કરતા અડધા ભાવે ચોપડા આપાયા
" શિક્ષણ એ એકવુ શક્તિશાળી હથિયાર છે જેનાથી તમે તમારૂ ભવિષ્ય બદલી શકો છો."
-નેલ્સન મંડેલા
ઉપરોક્ત પંક્તિઓને સાર્થક કરતા વીંછિયા પંથકના ધોરણ ૧ થી ૧૨ કે કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓને સારી ક્વોલિટીના ફુલસ્કેપ ચોપડા અને નોટબુક રાહતભાવે મળી રહે તેવા શુભ હેતુથી રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા વીંછિયામાં પ્રથમ વાર રાહત ભાવે ચોપડાઓનું વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો વીંછિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ભરપૂર લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ચોટીલા પથંકમાં રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે અને ૨૦૧૫ની સાલથી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મદદરૂપ થવાના હેતુથી દર વર્ષે ૧૦૦૦૦ ચોપડાનું રાહત ભાવે એટલે કે બજાર કિંમતથી અડધી કિંમતે ચોપડા વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે વીંછિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પહેલીવાર વિતરણ કરવામાં આવ્યું જેનો વિદ્યાર્થીઓએ ભરપૂર પ્રમાણમાં લાભ લીધો હતો. આજના સમયમાં શિક્ષણ અતિશય મોંઘુ બન્યું છે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના બાળકોને શિક્ષણ મેળવવાના મુશ્કેલી પડે છે તે બાબતની નોંધ લઈને રામ-રહીમ ફાઉન્ડેશન દાતાઓનો સહયોગ લઈને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને શિક્ષણમાં મદદરૂપ થવા આવા કાર્યો કરે છે.
વીંછિયામાં જસદણ રોડ પર આવેલ જવાહર બાગ સામે માહી પરફ્યુમ ખાતે આ રાહત દરે ચોપડા વિતરણ ગોઠવવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ને સફળ બનાવવા વીંછિયાના યુવા પત્રકાર અશરફભાઈ મીરાસૈયદ, એમ. બી. અજમેરા હાઈસ્કૂલના શિક્ષક ઈમરાનખાન પઠાણ, મામલતદાર ઓફિસના કર્મચારી જેન્તીભાઈ રાજપરા, સાજીદભાઈ બેલીમ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી અને રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, ઉપ પ્રમુખ મેહુલભાઈ ખંધાર, જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી એ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.