દાઉદી વ્હોરા સમાજ કાલે શુક્રવારે ઈદ ઉલ અદહા મનાવી ત્યાગની ભાવના બળવત્તર બનાવશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિશ્વની સાથોસાથ સૌરાષ્ટ્રભરના તમામ દાઉદી વ્હોરા સમાજના બિરાદરો આવતી કાલે ઈદ ઉલ અદહા મનાવશે આ અંગે રાજકોટ, સુરેન્દ્રનગર,જામનગર, મોરબી, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, જેવાં જિલ્લાથી માંડી જસદણ જેવડાં તાલુકા મથક સુધીના ગામોમાં તૈયારીઓ થઈ રહી છે બલિદાન એક ખુબ જ પવિત્ર શબ્દ છે તેની પહોળાઈ ઊંડાઈ વિશાળ છે તેનો માનવજીવન સાથેનો સંબંધ બહું જુનો છે ઈદ ઉલ અદહાનો ઇતિહાસ પણ ઇસ્લામ ધર્મમાં બલિદાન સાથે જોડાયેલ હોય તેથી દર વર્ષે ઈદ ઉલ અદહા મનાવવામાં આવે છે કાલે શુક્રવારે સવારે વ્હોરા બિરાદરો પોત પોતાના ગામોમાં ખાસ નમાઝ અદા કરી દેશની પ્રગતિ માટે હજું દેશનું નામ દુનિયામાં ઊજળું બને સાથોસાથ દાઉદી વ્હોરા સમાજના 53માં દાઈ નામદાર સૈયદના આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) ના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે દુઆ પ્રાર્થના કરશે ત્યાગની ભાવના બુલંદ બનાવશે અને અરસ પરસ ઈદ મુબારક પાઠવશે ઈદ અંગે સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં સામૂહિક જમણવારો પણ યોજાયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે કોમી ભાઈચારા વિશ્વ શાંતિના સંદેશ સાથે કાલે ઇદની ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને કાલે શુક્રવાર હોય એટલે ઈદ ઉલ અદહાનો આનંદ બેવડાયો છે ઈદને લઈ વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે અત્રે નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના સાહેબ કાલે વિદેશમાં ઇદની નમાઝ પઢાવશે.
Tags:
News