WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયાના સનાળીમાં ચાલવા બાબતે ઝઘડો થતાં યુવાનને કોદાળી ઝીંકી દીધી

વીંછિયાના સનાળીમાં વાડી માર્ગે ચાલવા બાબતે ઝઘડો થતા હિંમતભાઈને નટવરે કોદાળી ઝીંકી દીધી હતી. હિંમતભાઈ હરણીયા (ઉં. વ. 43) (રહે, સનાળી ગામ, તા. વીંછિયા)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. 

આ અંગે હિંમતભાઈએ જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરું છું. મારી વાડીની બાજુમાં જ નટવરભાઈ ત્રીકમભાઈ ઝુલાસણાની વાડી આવેલ છે. તેની વાડીમાંથી અમારો ચાલવાનું માર્ગ છે. ગઈકાલે સાંજે હું તેની વાડીમાંથી જતા રસ્તામાં ઉપર જતો હતો ત્યારે રસ્તામાં આડા પાણા અને લીમડાની ડાળી નાખી હતી. મેં આ અંગે પૂછતાં નટવરભાઈ ઉશકેરાઈ ગયા અને ઝઘડો કરી કોદાળી માથામાં મારી દીધી હતી. આ બનાવમાં વીંછિયા પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો