વીંછિયાના સનાળીમાં વાડી માર્ગે ચાલવા બાબતે ઝઘડો થતા હિંમતભાઈને નટવરે કોદાળી ઝીંકી દીધી હતી. હિંમતભાઈ હરણીયા (ઉં. વ. 43) (રહે, સનાળી ગામ, તા. વીંછિયા)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે હિંમતભાઈએ જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરું છું. મારી વાડીની બાજુમાં જ નટવરભાઈ ત્રીકમભાઈ ઝુલાસણાની વાડી આવેલ છે. તેની વાડીમાંથી અમારો ચાલવાનું માર્ગ છે. ગઈકાલે સાંજે હું તેની વાડીમાંથી જતા રસ્તામાં ઉપર જતો હતો ત્યારે રસ્તામાં આડા પાણા અને લીમડાની ડાળી નાખી હતી. મેં આ અંગે પૂછતાં નટવરભાઈ ઉશકેરાઈ ગયા અને ઝઘડો કરી કોદાળી માથામાં મારી દીધી હતી. આ બનાવમાં વીંછિયા પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.