જસદણના શાંતિનગર ગામે બળદે ઢીંક મારતા ખેડૂતનું મોત: હોસ્પિટલમાં કાળો કલ્પાત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના શાંતિનગર ગામે એક ખેડૂતને બળદે ઢીંક મારતા બેભાન થઈ જતા તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર મળે તે પહેલાં સરધાર ગામ નજીક મૃત્યું પામતાં ગોહિલ પરિવારમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ શાંતિનગર ગામે વલ્લભભાઈ જેમાભાઈ ગોહિલ જસદણ પંથકમાં સારો વરસાદ પડ્યો હોય એટલે પોતાની વાડીમાં વાવણી કરવા માટે પોતાના પાળેલા બળદને લેવા માટે પશુઓની ગમાણમાં બાંધેલ બળદને છોડાવ્યા પાછળથી એક બળદએ ઢીંક મારતા વલ્લભભાઈ બેભાન થઈ જતા આ બાબતની જાણ તેમના પુત્ર પંકજભાઈને થતાં તાત્કાલિક વાહન દ્વારા રાજકોટ સારવાર માટે લઈ જતા ત્યારે સરધાર ગામ નજીક પહોંચતા ત્યાં સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું આ અંગે લાશને પી એમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં કાળો કલ્પાત સર્જાયો હતો મૃતકને બે યુવાન પુત્ર હોવાનું જાણવા મળે છે આ બનાવથી ખોબા જેવડા શાંતિનગર ગામે શોકની કાલિમા છવાઈ ગઈ હતી.