મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાને સમાધિ અપાઈ: તલગાજરડા સંપુર્ણપણે સજ્જડ બંધ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું મધ્યરાત્રિએ 79 વર્ષની જૈફ વયે નિધન થતાં બાપુના હજજારો ચાહકોમાં શોકભીની લાગણી ફેલાઈ ગઈ હતી તેમનાં દેહવિલયને લઈ આજે સવારે તલગાજરડા ખાતે સાધુ પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી ત્યારે તલગાજરડાએ સ્વયંભુ બંધ પાળી નર્મદાબા ને ભીનાં હૃદયે અંજલિ અર્પણ કરી હતી અત્રે નોંધનીય છે કે જસદણ વીંછિયા પંથક સહિત મોરારીબાપુના દેશ વિદેશમાં લાખો ચાહકો છે.
Tags:
News