WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં આગામી ગણપતિ મહોત્સવને લઈ ભાવિકોમાં અનેરો થનગનાટ: લતે લતે સ્થાપના થશે

જસદણમાં આગામી ગણપતિ મહોત્સવને લઈ ભાવિકોમાં અનેરો થનગનાટ: લતે લતે સ્થાપના થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૯
જસદણ શહેરમાં આગામી બુધવારથી ગણપતિ મહોત્સવને ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે 
આ અંગે વિવિઘ વિસ્તારોના સ્વયંમસેવકો દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ગણેશ મહોત્સવને લઈ જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ જીઆઇડીસી એસોસિએશન તેમજ જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ પાવન અવસરની સર્વે નગરજનોને શુભેચ્છા પાઠવી શુભકામના વ્યક્ત કરી હતી
 જસદણમાં આ વર્ષે આદમજીરોડ, મોતીચોક, આટકોટરોડ, બજરંગનગર, લાતીપ્લોટ, ટાવરચોક, ગઢડીયારોડ, વીંછિયારોડ, વાજસુરપરા, ગંગાભુવન, જેવા અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ યોજાશે જેમાં સુંદર સજાવટનું મેનેજમેન્ટ કરી કલરફૂલ લાઈટિંગ સુશોભન કરી ગણપતિ દાદાની બુધવારે સવારે વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવશે આ અંગે ગણેશ ભક્તોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટ્યાં છે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણમાં દરવર્ષે આકર્ષક પંડાલ બનાવવામાં આવે છે જેમાં લાઈટિંગના ઝળહળાટ સાથે ગજાનંદના વિવિઘ સ્વરૂપો વાળી મૂર્તિના દર્શન હજજારોની સંખ્યામાં લોકો કરે છે અને સવાર સાંજ ગર્વભેર આરતીમાં જોડાય છે ખાસ કરીને વિસર્જન યાત્રા પણ ધૂમધામથી નીકળી ભારે હૈયે વિદાય આપે છે આ વર્ષે આયોજકો દ્વારા સત્યનારાયણ દેવની કથા, અન્નકોટ, બટુકભોજન, જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો