WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મોહનથી ''મહાત્મા'': બાપુના સંસ્કારોનું સિંચન એટલે ''કબા ગાંધીનો ડેલો''

મોહનથી ''મહાત્મા'': બાપુના સંસ્કારોનું સિંચન એટલે ''કબા ગાંધીનો ડેલો''
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨ ઓકટોબર ૨૦૨૨
આજે રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિ છે, દેશ તેમને વંદન કરી રહ્યો છે.
પરંતુ, આપણે વાત કરવી છે, રાજકોટના કબા ગાંધીના ડેલાની ભલે, 'ગાંધીજીનું' જન્મસ્થળ પોરબંદર રહ્યું, પરંતુ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ સાથે બાપુને અતુટ લગાવ રહ્યો હતો.
બાપુના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતા, મોહનદાસના જન્મને ૭ વર્ષ પછી તુરત જ કરમચંદ રાજકોટના દિવાન બન્યા, અને પૂરો પરિવાર રાજકોટ આવી વસ્યો...અને ત્યારથી ગાંધીજી સાથે રાજકોટ જોડાઇ ગયું.
પિતા કરમચંદ ગાંધી અને પરિવાર દરબારગઢ નજીક આવેલા મકાનમાં રહેવા લાગ્યા, ગાંધીને ગ્રામીણ વિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલ્યા...
રાજકોટના રાજવીએ ૧૮૮૧ માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવો કિંમતી પ્લોટની ઓફર કરી, પરંતુ કરમચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યે, આ પ્લોટ ઉપર મકાન બનાવાયું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા, રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો.
મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન એટલે આ કબા ગાંધીનો ડેલો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો