WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વિંછીયા રોડ પર 21 ફૂટ ઉંચી જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિનું અનાવરણ ધર્મ સભા સાથે પુર્ણ

જસદણના વિંછીયા રોડ પર આવેલ બાલ યોગી સાસીયા બાપુ ની જગ્યાએ શ્રી શ્રી શ્રી 1008 જગતગુરુ રામાનંદાઆચાર્યજી મહારાજ ની 21 ફૂટ ની મૃતી નું અનાવરણ લીમડીપીઠના પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર ચરણજી તેમજ રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ પાંખ ના સમાજના પ્રદેશ પ્રમુખ વેંકટ ગીરીબાપુ સહિત ગુજરાત ભરના સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. 

આ તકે જસદણ અને વિછીયા સહિત સૌરાષ્ટ્રના સાતે જિલ્લામાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ હાજર રહ્યો હતો 

ખાંડાધાર હડમતીયા ગઢડીયા ગામ અને જસદણ વિછીયા ભાડલા રામાનંદી સાધુ સમાજ ના સહયોગથી જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ભવ્ય મૂર્તિનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું