WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના નાના માત્રામાં યુવાન અને સગીરાનું લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા: પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

રિપોર્ટર: Rajesh Limbasiya
વિંછીયાના નાના માત્રા ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા અને 21 વર્ષીય યુવકના ચોટીલાના લાખાણકા ગામે એક વાડીના રૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 21 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ બંને પ્રેમી પંખીડાઓએ વાડીના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનું પોલીસનું અનુમાન છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં, બંનેના મૃતદેહ રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જેથી આપઘાતના કારણો અને અન્ય વિગતો બહાર આવી શકે.
આ ઘટના સારા પરિવારના સ્વપ્નોને તોડી નાખતી અને સમાજને વિચારવા માટે મજબૂર કરતી છે. વધુ વિગત પોલીસ તપાસ બાદ જાહેર થશે.
રિપોર્ટર: Rajesh Limbasiya

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો