WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરેન્દ્રનગર દૂધરેજ પાસે નર્મદા કેનાલમાં યુવાન પડી જતાં મોત

અઢી કલાક તપાસ બાદ મૃતદેહ બહાર કાઢયો

સુરેન્દ્રનગર દૂધરેજ પાસે નર્મદા કેનાલમાં યુવાન પડી ગયો હોવાની જાણ કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર ફાયર વિભાગ ટીમે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરાઇ હતી.
બુધવારે સામે આવ્યો હતો. જેમાં રવિવારેે દૂધરેજ નર્મદા કેનાલ પુલ પાસે કેનાલમાં યુવાન પડી ગયો હોવાની ફાયર વિભાગને જાણકારી અપાઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, સંજયભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. 

જ્યાં કેનાલમાં શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી અને ઓળખ હાથ ધરવામાં આવી હતી. આ યુવાનની ઓળખ અંગે તો તપાસ હાથ ધરતા સ્થળ પરના લોકો આ યુવાન હરેશભાઈ સાગરભાઇ લોલાડીયા હોવાનું જણાવતા હતા પરિવારજનોને શોધવા સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો