WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વિંછીયા પંથકની સુખાકારી માટે ભરતભાઈ પ્રજાપતિ સાયકલ દ્વારા અયોધ્યાની યાત્રા પર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ વિંછીયા તાલુકાની પ્રજાની સુખાકારી માટે આજે વહેલી સવારે જસદણના સામાજિક કાર્યકર ભરતભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ ઉર્ફે ભક્તિભાઈ આજે સાયકલ દ્વારા અયોધ્યાની યાત્રા પર નીકળતાં તેમને શહેરીજનોએ દિલથી વિદાય આપી હતી 
સવારે ભરતભાઈ જે સોસાયટીમાં રહે છે ત્યાંથી અયોધ્યા સાયકલ દ્વારા પ્રસ્થાન કરતાં તેમને જસદણ જીઆઈડીસી એસોસિએશન શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ રાઠોડ અને સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડ સહિતના અનેક શહેરીજનોએ દિલથી વિદાય આપી હતી જસદણથી અયોધ્યા ૧૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ભરતભાઈ ૧૪ દિવસમાં પુર્ણ કરશે.
અને અયોધ્યા પહોંચી ભરતભાઈ રામમંદિરમાં પહોંચી જસદણ વિંછીયા પંથકના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો