જસદણના જીવાપરના પટેલ સમાજનાં અગ્રણી દિલીપભાઈ સાવલિયાનું નિધન: સોમવારે આખો દિવસ બેસણું
જસદણ: જીવાપર નિવાસી લેઉઆ પટેલ દિલીપભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉ.વ.૬૨) તે સાગરભાઈ, જૈનેક્ષભાઈના પિતા માવજીભાઈ, જયસુખભાઈ, પરેશભાઈ, પંકજભાઈના ભાઈ દિવ્યેશભાઈ અશોકભાઈના કાકાનું ભરૂચ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૨ બપોરે ૨ થી ૬ સરદાર પટેલ ભવન જીવાપર તા. જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9978907020,9712997020 ઉપર વ્યકત કરવો દેહ વિલય પામેલ દિલીપભાઈ પટેલનો માયાળુ અને પરોપકારી સ્વભાવને કારણે તેઓ સમસ્ત પટેલ સમાજ સહીત અન્ય સમાજમાં પણ ખાસ્સા લોકપ્રિય હતાં તેમનાં નિધન પર સામાન્ય જનથી માંડી મહાનુભવો સુધીના લોકોએ ભીનાં હદયે શોકાંજલી અર્પણ વ્યકત કરી હતી.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death