જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈને શ્રદ્ધાસુમન પાઠવતા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતાના દેહવિલયથી જસદણમાં શૂન્ય અવકાશ સર્જાયો છે ત્યારે જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ શ્રદ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે અશોકભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે લોહી પાણી એક કરી પક્ષને જે ઊંચાઈ બક્ષી હતી આટલું જ નહીં તેમનું જસદણ વીંછિયા પંથકમાં શિક્ષણ આરોગ્ય અંગે કામગીરી કરી હતી તે થકી અનેક લોકોના જીવનમાં ખુશી પથરાય હતી જનસંઘના સમયથી ભાજપ સુધીની સફરમાં અનેક લોકોના જીવનમાં અંજવાળુ પાથરનાર અશોકભાઈ મહેતા આ પંથકના લોકો માટે અડધી રાતનો હોંકારો હતાં જે આવનારી પેઢી પણ ભુલી નહી શકે તેમનાં નિધનથી એક ખાલીપો સર્જાયો છે જે કયારેય ભુલી નહી શકાય ભગવાન તેમનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના સહ પરિવાર અને ભાજપ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એમ વિજયભાઈએ છેલ્લે જણાવ્યું હતું.
Tags:
Death