WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિછીયાના નાના માત્રા ગામે 16 વર્ષની સદાબેન હત્યાકાંડમાં ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદન

16 વર્ષીય સદાબેન હત્યાકાંડમાં યોગ્ય તપાસ ન થતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, તપાસ ન થાય તો ઉપવાસની ચીમકી
વિછીયા તાલુકાના નાના માત્રા ગામે 16 વર્ષીય સદાબેનની થયેલી હત્યા અંગે યોગ્ય તપાસ ન થતા અને કેસને દબાવાની કોશિશ થઈ રહી હોય તેવી આશંકા વચ્ચે, કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા મામલતદાર કચેરી વિછીયામાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીએ તથા કલેક્ટરશ્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસને રી-ઓપન કરવાની માંગ કરવામાં આવી છે.
આગેવાનોના જણાવ્યા અનુસાર, દોષિતોને કડક સજા થાય અને આવનારા સમયમાં એવા બનાવો ફરી ન બને, એ હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.
આવેદનમાં ચિમકી અપાઈ છે કે જો તારીખ 15 સુધીમાં યોગ્ય તપાસ શરૂ નહીં થાય, તો વિછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધારણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના મુખ્ય મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, લાલાભાઈ રાજપરા અને ભગીરથભાઈ વાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો