જસદણના કાનપરમાં ગુરુવારે ઝુંડવાળી શ્રી ખોડિયાર માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના કાનપર ગામે આગામી તા.8 મે 2025ને ગુરૂવારના રોજ શ્રી ઝુંડવાળી શ્રી ખોડિયાર માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે આ અંગે તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગુરૂવારે યોજાનારા આ માંડવામાં કાનપર, નવાગામ, જુના પીપળીયા, ઈશ્વરીયા મોટા દડવા, સાણથલી,ડોડીયાળા,દેતડિયા, બગદડિયા, જશાપર, સાંઢવાયા, જીવાપર, દેવળીયા, રામોદ આ સહયોગી ગામોમાંથી હજજારો ભાવિકો અને સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો અને માતાજીના ભૂવાઓ કાનપર આવશે તેમની પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા કરવામાં આવશે ગુરૂવારે થાંભલી રોપવાનું મુહૂર્ત બપોરે અને સાંજે મહાપ્રસાદ શુક્રવારે સવારે થાંભલી વધાવવાના મુહૂર્ત બાદ 24 કલાકનો આ માંડવો પૂર્ણ થશે બપોરના પ્રસાદીના દાતા ડો. જગદીશભાઈ હરિભાઈ વેકરીયા સાંઢવાયા સાંજની પ્રસાદીના દાતા દાદુભાઈ નારાયણભાઈ મિયાત્રા રાજકોટ નવરંગા માંડવામાં રાવળદેવ તરીકે હિતેશભાઈ, વિપુલભાઈ, વિશાલભાઈ સેવા આપશે આ અંગે ઝુંડવાળી શ્રી ખોડિયાર માતાજીના મહંત વિપુલપુરીબાપુ (મો.9979669444) શ્રી શૈલેષપુરી (મો.9879127858) અને વનરાજપુરી એ ભાવિકોને જાહેર આમંત્રણ આપ્યું છે.