વિંછીયા ગામે શુક્રવારે અડધો દિવસ સજ્જડ બંધ પાળી સેવાભાવી તબીબ જે એમ મકાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછિયામાં આજીવન દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેનારા દાનવીર તબીબ જે એમ મકાણી છેલ્લાં દોઢ વર્ષથી અમેરિકામાં પોતાના તબીબ સુપુત્ર હરિકૃષ્ણભાઈ સાથે રહેતા હતા.
તે દરમિયાન ગત અઠવાડીયે તેમનું કુદરતી રીતે નિધન થતાં અમેરીકન સરકારના નિયમ મુજબ શુક્રવારે તેમની અંતિમવિધિ હોય ત્યારે વીંછિયાના ગ્રામ્યજનો અને વેપારીઓએ ડો. જે એમ મકાણીની સ્મૃતિમાં બપોરે બે વાગ્યાથી સાંજ સુધી સજ્જડ બંધ પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રવિવારે જૈન વાડી ખાતે સાંજે 4 કલાકે એક શોકસભા પણ રાખેલ છે જેમાં હજજારો વિંછીયાવાસીઓ શોકભીનો ઠરાવ પસાર કરશે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ