જસદણના જાણીતા સેવાભાવી કથાકાર મહેશ વ્યાસનું બાઈક સ્લિપ થતા નિધન: જસદણમાં શોકભીની લાગણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટરોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેણાક ધરાવતાં સેવાભાવી મહેશભાઈ માનવંતરાય વ્યાસ ઉ.વ.૬૦ ગત રાત્રિના વાકિયા ગામેથી જસદણ પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કલોરાણા ગામના પાટિયા પાસે બાઈક સ્લિપ થઈ જતાં ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું આ અંગે કોઈએ ૧૦૮ને જાણ કરતાં સરકારી હોસ્પિટલમાં કાળો કલ્પાત સર્જાયો હતો મૃતક મહેશભાઈ શિક્ષક હતાં અને તેઓ એક સારા કથાકાર હોવાથી તેઓ ભારે લોકપ્રિયતા મેળવી હતી તેમનાં નિધનથી જસદણમાં શોકની કાલિમા સર્જાય હતી.