જસદણ વીંછિયા પંથકના ભાજપના અનેક આગેવાનો અંતિમવિધિમાં જોડાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજયભાઈ રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ, અમદાવાદ એરપોર્ટ પર આવેલ ગુજરાત સરકારના ગુજસેલ ખાતેથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લઈ જવાશે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રુપાણી આવતી કાલે સોમવારે પાર્થિવ દેહ સાથે વિશેષ પ્રોટોકોલ સાથે રાજકોટ જવા રવાના થશે.
દિવંગત વિજયભાઈ રૂપાણીનું DNA મેચ થયા બાદ સોમવારે રાજકોટમાં અંતિમવિધિ કરવાનો નિર્ણય કરાયો છે. રાજકોટની પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને આવતી કાલે નશ્વર દેહને લાવવામાં આવશે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મંદિર ખાતે રાજકીય સન્માન સાથે મુખ્યમંત્રી તેમજ મંત્રી મંડળના સભ્યો અને પાર્ટીના મુખ્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અંતિમ સંસ્કાર પૂર્વે સ્મશાન ખાતે જ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવશે દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા સમાજના સામાજિક કાર્યકર મુર્તઝાભાઈ ભારમલ (મો.9725252052) એ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીના સેવાકીય કાર્યોને કારણે શનિવારે વેપાર રોજગાર સાથે શાળાઓએ બંધ પાળી પોતાની લાગણી વિજયભાઈ પ્રત્યે દર્શાવી હતી કઈ કેટલા પ્રવાસીઓ કેવા શુકનના નીકળ્યાં હશે તેમણે આવી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો અલ્લાહ દરેક મૃતકોના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના મુર્તઝાભાઈ ભારમલએ અંતમાં કરી હતી.